આનંદનગરમાં મામા-ભાણેજના ઘરે તસ્કરો ત્રાટક્યા : ત્રણ લાખની ચોરી

798
bvn2542018-7.jpg

શહેરના આનંદનગર સ્લમબોર્ડ વિસ્તારના બે રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બાજુ-બાજુમાં રહેતા મામા અને ભાણેજના મકાનના તાળા-નકુચા તોડી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી ત્રણ લાખની મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના આનંદનગર સ્લમબોર્ડ વિસ્તારમાં રહેતા સંજયભાઈ જીવાભાઈ ચૌહાણ અને તેની બાજુમાં રહેતા તેમના મામા પરિવાર સાથે બન્ને મકાનને તાળુ મારી બહાર ગયા હતા તે વેળાએ ગત મોડીરાત્રે તસ્કરોએ બન્ને બંધ મકાનને નિશાન બનાવી તાળા-નકુચા તોડી સંજયભાઈ ચૌહાણના મકાનના કબાટમાંથી રોકડ રૂા.રપ હજાર તેમજ સોના-ચાંદીના દાગીના જેમાં ચેઈન, વીંટી, કાનની બુટ્ટી, ચાંદીના છડા મળી કુલ રૂા.૧ લાખ ર૮ હજારની ચોરી કર્યા બાદ બાજુમાં રહેતા સંજયભાઈના મામા ઘરના તાળા તોડી કબાટમાં રાખેલા રોકડ રૂા.૧ લાખ ૭પ હજાર મળી બન્ને મકાનમાંથી કુલ રૂા.૩ લાખ ૩ હજાર ૮૦૦ના મુદ્દામાલ ચોરી કરી નાસી છુટ્યાની સંજયભાઈ ચૌહાણે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleસર ટી. હોસ્પિટલના બેબી વોર્ડમાં મોડીરાત્રે આગ લાગી : ભાગાભાગી
Next articleઈચ્છા મૃત્યુ અરજીઓનું રજી. એડી. કરાયું