હવે ગુજરાતમાં ધોરણ ૧ થી ૫ના ઑફલાઈન વર્ગો શરૂ કરવાની તૈયારી

120

ગાંધીનગર, તા.૦૬
કોરોનાના કારણે દેશ-વિદેશમાં વિદ્યાર્થીઓને સૌથી મોટું નુકશાન થઈ રહ્યું હતું. કારણે કે વિદ્યાર્થી વર્ગ એટલે આવનાર સમયનું ભવિષ્ય, જેનો પાયો આ સમયમાં પાકો થાય તેવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કરિયર ખરાબ થાય તે કોઈપણ દેશ કે રાજ્ય સરકાર ન વિચારી શકે તેને ધ્યાને લઈ તમામ દેશો પોત-પોતાના દેશ અને રાજ્યમાં ધીમે ધીમે કોરોના ગાઈડલાઈન પ્રમાણે શાળા- કોલેજો ખુલી રહ્યા છે તેમાં ગુજરાતમાં પણ પહેલા કોલેજો ત્યારબાદ ધો.૧૦ થી ૧૨ અને પછી ધો.૬ થી ૯ના વર્ગો ની શાળાઓ ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ધો.૧થી ૫ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવાની તૈયારીઓ ચાલુ છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા પણ કેટલીક છૂટછાટો અપાઈ રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આજે ધોરણ ૧ થી ૫ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. કેવડિયા ખાતે શુરપાણેશ્વર મહાદેવની પૂજા કરવા આવેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાતમાં પહેલા કોલેજ પછી ધોરણ ૧૦ થી ૧૨ અને ગત અઠવાડિયે ધોરણ ૬ થી ૮ના ઑફલાઈન વર્ગો શરૂ કરવામાં સરકાર સફળ રહી છે. વાલીઓ પણ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલી રહ્યાં છે અને શિક્ષકો પણ ઉત્સાહિત થઈને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. એવામાં ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિદોની સલાહ બાદ ધોરણ ૧ થી ૫ની પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી શકે છે. આથી અમે હવે પછીના તબક્કામાં ધોરણ ૧ થી ૫ના ઑફલાઈન વર્ગો શરૂ કરવાનું વિચારી રહ્યાં છીએ. નર્મદા ડેમમાં પાણીના જથ્થા અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, નર્મદા ડેમમાં પાણીનો જથ્થો પુરતો છે. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે નર્મદા ડેમ ભરાઈ જાય, જેથી રાજ્યમાં પીવાના પાણીની કોઈને તકલીફ ના પડે. જણાવી દઈએ કે, ગત ૨ સપ્ટેમ્બરથી રાજ્યભરમાં ધોરણ ૬ થી ૮ માટે સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ર્જીંઁનું પાલન કરતાં સ્કૂલોમાં ઑફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે. અગાઉ ધોરણ ૯ થી ૧૧ના ઑફલાઈન વર્ગે ૨૬ જુલાઈથી શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન સરકારે કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ ઑફ લાઈન ક્લાસ એટેન્ડ કરવા માંગતા હોય, તેમણે પોતાના માતા-પિતા પાસેથી સહમતિ પત્ર લઈને સ્કૂલમાં આવવું પડશે. આ સાથે જ સ્કૂલમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ ટકાથી વધુ ના હોવી જોઈએ.

Previous articleકેરળ બાદ તામિનાડુમાં પણ નિપાહ વાયરસનો કેસ નોંધાયો
Next articleનકલી રસીથી બચવા વેક્સિનની ખરાઈ માટે ગાઈડલાઈન જાહેર