માણસા ન.પા.ના કર્મચારીઓ આજથી ત્રણ દિવસની હડતાળ પર

784
gandhi21102017-6.jpg

ગુજરાત રાજયમાં આવેલા નગરપાલિકાઓના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો બાબતે સરકારમાં અનેકવાર રજુઆતો કરવા છતાં નિરાકરણ ન આવતાં ધરણા પર ઉતર્યા છે. ત્રણ દિવસના ધરણા કરવાના આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માણસા નગરપાલિકાના કાયમી તથા રોજમદાર કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા હતા. જેથી ત્રણ દિવસ સુધી કર્મચારીઓની હડતાલને લઈને નાગરિકોને કામોમા પારાવાર મુશ્કેલીઓ પડશે તે બદલ કર્મચારી મંડળે ક્ષમાયાચના માંગી હતી અને વધુમા જણાવ્યું હતુ કે ૧૧ થી ત્રણ દિવસ સુધી નગરપાલિકાના તમામ કર્મચારીઓ કામકાજથી અળગા રહેશે. 

Previous articleગુજરાત રાજ્ય શાળા પાઠ્‌યપુસ્તક નિર્મિત “ગ્રંથ મંદિરનું” ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લોકાર્પણ કર્યુ
Next articleઅનુસૂચિત જાતિ-સફાઇ કામદાર લાભાર્થીઓને રૂ.૭૫ કરોડથી વધુના સાધન-ચેક સહાય અપાઇ