ભાવનગરના ચિત્રકારે નિરૂપમા ટાંક નાગપુર નેશનલ આર્ટ કેમ્પમાં ભાગ લીધો હતો.
૮માં લાલિત્ય નેશનલ આર્ટ કેમ્પનું આયોજન તા. ૬ થી ૮ ઓકટોબર કરવામાં આવેલ દેશના ૧૦૦થી વધારે આર્ટીસ્ટો જોડાયા. આ કેમ્પમાં ગુજરાતના, ભાવનગરથી નિરૂપમા ટાંકને પુર્વી સોલંકી, અમદાવાદથી હસમુખભાઈ રાવલને ગૌરવ પુરસ્કાર વિજેતા મનસુખભાઈ કાકંડીયા તેમજ બરોડા ફાઈન આર્ટસના વિદ્યાર્થી અનુપભાઈ શાહ જોડાયેલ આટલા બધા કલાકારોની વચ્ચે ચિત્ર બનાવવુ એટલા માટે સારો અનુભવ મળે કે કલાકાર સંકોચ વગર પોતાની શૈલીમાં કામ કરે તે દરેક કલાકારોને જોવા મળેને પોતે બનાવેલ ચિત્રની તરત જ પ્રતિક્રિયા મળે.