ભૂતપૂર્વ બૅટ્‌સમૅન ગોપાલ બોઝનું અવસાન

938

બી.સી.સી.આઈ.એ બંગાળના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન અને કેપ્ટન ગોપાલ બોઝના અવસાન માટે શોક વ્યક્ત કર્યો હતો જેમનું બર્મિંગહામમાં હૃદય રોગના હુમલાના કારણે ૭૧ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે પ્રથમ કક્ષાની ૭૮ મેચમાં રમી આઠ સદી સાથે કુલ ૩૭૫૭ રન કર્યા હતા અને પોતાની ઑફ-સ્પિન બૉલિંગ વડે ૭૨ વિકેટ ઝડપી હતી.

૧૯૭૪માં ઈંગ્લેન્ડના પ્રવાસ માટે તેમની ભારતની ટીમમાં પસંદગી થઈ હતી અને કરિયરની એકમાત્ર વન-ડેમાં તેઓ રમ્યા હતા, જે રાષ્ટ્રની ટીમ વતી તેમનું એકમાત્ર પ્રતિનિધિત્વ હતું. ઓવલ ખાતેની તે મેચમાં તેમણે ૧૩ રન કર્યા હતા અને ડેવિડ લોઈડની વિકેટ લીધી હતી. સદ્ગત અજિત વાડેકર એ વન-ડેના કૅપ્ટન હતા.

Previous articleબોલીવુડ સુપર સ્ટાર રિતિક રોશન સામે છેતરપિંડીની ફરિયાદ
Next articleએશિયાડઃ પુરુષ હોકીમાં ભારતે શ્રીલંકાને ૨૦-૦થી હરાવી સતત ૫મી વાર જીત