પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની કેટલીક મહત્વપૂર્ણ પરીક્ષાઓ ઘણીવાર રદ થાય છે. લોકરક્ષક દળની પરીક્ષા રદ થથાં સરકારે પોતે પણ મીડિયા સામે આવી માફી માગવી જોઇએ. પરીક્ષાર્થીઓને સરકારે વળતર આપવું જોઇએ. સરકાર પાસે સ્પષ્ટ માંગણી છે કે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખર્ચ કરીને પરીક્ષા આપવા આવ્યા હતા. તમામને ખર્ચ સરકારે આપવો જોઇએ. અધિકારીઓમાં રાજાશાહી જોવા મળી રહી છે. બીજા જિલ્લામાંથી વિદ્યાર્થીઓ બે દિવસથી આવ્યા હતા. અનેક વખત આવી રીતે પરીક્ષાઓ રદ થઇ છે. વાઇબ્રન્ટ ગુજરાતના તાયફાઓ થાય છે.



















