આજથી ધો.૧ થી ૫ની સ્કૂલો ઓફલાઈન શરૂ થશે : શિક્ષણમંત્રી

81

ગુજરાતમાં શિક્ષણ સંકુલો ઓફલાઈન ચાલુ કરવામાં આવ્યા : શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી કે ધો.૧ થી ૫ની વિદ્યાર્થીઓ માટે પણ સ્કુલો ઓફલાઈન શરૂ થશે પરંતુ હાજરી મરજીયાત રહેશે
અમદાવાદ, તા.૨૧
કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના ૧થી ૫ ધોરણના ઓફલાઈન વર્ગો આવતીકાલથી ખુલશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે. ત્યારે કોરોના હવે હળવો પડતા આવતીકાલથી ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ ૧થી ૫ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે. રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્રારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી.તેમ છતાં ધોરણ ૧ થી ૫ ના શિક્ષણ શરૂ થઈ શક્યું નથી, અને રાજ્યના વાલીઓ થી લઈને સંચાલકો દ્વારા પ્રાથમિક શાળા શરૂ કરવા સરકાર પર દબાણ વધી રહ્યું હતું, કેમકે પ્રાથમિક શાળા ના બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે હવે વર્ગખડં શિક્ષણનો પ્રારભં પહેલી ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે. આ પહેલાં રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ ૬થી ૮ના વર્ગો ૨ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં ૫૦ ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ૯થી ૧૨ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે. ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. આજે થી રાજ્યમાં ધોરણ ૧થી ૫ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી. જો કે હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકૃષિ કાયદાના બિલને બુધવારે મંજૂરી મળે તેવી શક્યતા