હૈ.વિધાતા તે આવા લેખ લખ્યા 4 માસુમ બાળકો ના

41

માતા વિનાના અને કેમિકલ કાંડમાં પિતા ની છત્રછાયા ગુમાવનાર 4 બાળકો નો શિક્ષણ નો તમામ ખર્ચ પોલીસ ઉઠાવશે….
બોટાદ જિલ્લામાં સર્જાયેલા કેમિકલ કાંડમાં અનેક ઘર બરબાદ થયા છે. લગભગ 13 જેટલા ગામોમાં કેટકેટલાય લોકોના જીવ ગયા છે અને બે દિવસથી આ ગામોનું વાતાવરણ ગમગીન બન્યું છે. કેટલાય સંતાનોએ પિતાનો છત્રછાયો ગુમાવ્યો છે. ત્યારે બરવાળા કેમિકલ કાંડમાં મૃતકોના પરિવારની વ્હારે બોટાદ પોલીસ આવી છે.રાણપુર તાલુકાના દેવગાણા ગામે એક પરિવારના મોભીના અવસાનથી બાળકોની ભણતરની જવાબદારી પોલીસે ઉપાડવાની જાહેરાત કરી છે. આજે પરિવારને સાંત્વના આપવા બોટાદ એસ.પી.ડો.કરનરાજ વાઘેલા અને ડી.વાય.એસ.પી.એસ.કે.ત્રિવેદી ની ટીમ પહોંચી હતી.

જ્યાં દેવગાણા ગામે એક પરિવારના 3 બાળકોના અભ્યાસની જવાબદારી પોલીસની ટીમ ઉપાડશે. કેમિકલ કાંડમાં મૃતકના પરિવારજનોની વ્હારે બોટાદ પોલીસ આવી છે. પરિવારના મોભીના અવસાન બાદ બાળકોના ભણતરની જવાબદારી પોલીસે ઉઠાવી છે. પરિવારને સાંત્વના આપવા બોટાદ એસ.પી અને ડી.વાય.એસ.પી.ની ટીમ દેવગણા ગામે પહોંચી હતી. જેમાં કેમિકલ કાંડમાં મૃત્યુ પામેલા કનુભાઈ સુરાભાઈના પરિવારના ચાર બાળકોની અભ્યાસની જવાબદારી પોલીસે ઉપાડવાની જાહેરાત કરી છે..કનુભાઈના ઘરે પહોંચેલા બોટાદ એસપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યુ કે, બોટાદમાં થયેલા કેમિકલ કાંડમાં સંકળાયેલા લોકોને જિલ્લા પોલીસ દ્વારા જે પકડવાની કાર્યવાહી તો ચાલુ જ છે. પરંતુ આ વચ્ચે અમારા ધ્યાને આવ્યુ હતું કે રાણપુર તાલુકાના દેવગણા ગામના કનુભાઈ સુરાભાઈનું અવસાન થયુ છે. તેમના પત્ની પણ સાથે નથી અને પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. કનુભાઈના મોતથી ચારેય બાળકો ના માથે થી પિતાનો છાયો ગયો છે. ત્યારે બોટાદ જિલ્લા પોલીસે ચારેય બાળકોની શિક્ષણની જવાબદારી ઉપાડી છે. પ્રાથમિક શાળા થી કોલેજ સુધી જે પણ જરૂર હશે તે બોટાદ જિલ્લા પોલીસ તમામ ખર્ચ ઉપાડશે. તેમજ શિક્ષણ સિવાય કોઈ પણ મદદ માટે જરૂર હશે તો રાણપુર અને બોટાદ જિલ્લા પોલીસ જવાબદારી ઉપાડશે.બોટાદ જીલ્લા પોલીસ અને રાણપુર પોલીસ નો સંવેદના ભર્યો નિર્ણય અને ખાખી ની સંવેદના ને લોકો સલામ કરી રહ્યા છે.પિતા ની છત્રછાયા ગુમાવનાર ચાર બાળકો ના શિક્ષણ ની તમામ જવાબદારી પોલીસે લઈને પોલીસ ની આંખ માં પણ કરૂણા ભરેલી હોય છે તે રાણપુર તાલુકાના દેવગાણા ગામેથી સાબીત કરી દીધુ…
પિતાની છત્રછાયા ગુમાવનાર 4 બાળકોના શિક્ષણની જવાબદારી પોલીસ પુરી કરશે:-ડો.કરનરાજ વાઘેલા-એસ.પી.બોટાદ
રાણપુર તાલુકાના દેવગાણા ગામે કનુભાઈના ઘરે પહોંચેલા બોટાદ એસ.પી ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યુ હતુ કે બોટાદમાં થયેલા કેમિકલ કાંડમાં સંકળાયેલા લોકોને જિલ્લા પોલીસ દ્વારા જે પકડવાની કાર્યવાહી તો ચાલુ જ છે. પરંતુ આ વચ્ચે અમારા ધ્યાને આવ્યુ હતું કે રાણપુર તાલુકાના દેવગણા ગામના કનુભાઈ સુરાભાઈનું અવસાન થયુ છે. તેમના પત્ની પણ સાથે નથી અને પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. કનુભાઈના મોતથી ચારેય બાળકોના માથેથી પિતાનો છાયો ગયો છે. ત્યારે બોટાદ જિલ્લા પોલીસે ચારેય બાળકોની શિક્ષણની જવાબદારી ઉપાડી છે. તેમના પ્રાથમિક થી કોલેજ સુધી શિક્ષણ માં જે પણ જરૂર હશે તો બોટાદ જિલ્લા પોલીસ તમામ ખર્ચ ઉપાડશે. તેમજ શિક્ષણ સિવાય કોઈ પણ મદદ જરૂર હશે તો રાણપુર અને બોટાદ જિલ્લા પોલીસ જવાબદારી ઉપાડશે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ સિહોર નો ઇનામ વિતરણ સમારોહ યોજાયો.
Next articleવલ્લભીપુર માં માનવ સેવા ગ્રુપ આયોજિત 23 મોં ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો….