સિહોરમાં મકાનની પીલર પડતા શ્રમિક યુવાનનું મોત

1258

સિહોરમાં શર્માપાર્કમાં મકાનનું બાંધકામ કરતા શ્રમિક પર અચાનક પીલર પડતા ગંભીર ઈજાઓ થતા યુવાનનું મોત નિપજવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, સિહોરના સવગુણનગર પાંચવડા વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ઉર્ફે કાળુભાઈ બીજલભાઈ રાઠોડ ઉ.વ.ર૭ શર્મા પાર્ક ખાતે મકાનનું બાંધકામ કરી રહ્યાં હતા તે વેળાએ અચાનક મકાનનું પીલર યુવાનની માથે પડતા ગંભીર લોહીયાળ ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં યુવાનનું મોત નિપજવા પામ્યું હતું.

Previous articleસિહોરના ધ્રુપકા ગામેથી દેશી દારૂ ભરેલી સ્ક્વોડા કાર ઝડપાઈ
Next articleબોરીજમાં દબાણકારોને નોટિસોઃ મકાનો ખાલી કરી દેવા પડશે