દામનગર પંથકમાં વિકરાળ સ્વરૂપે વધી રહેલી ઝેરી વનસ્પતિનો નાશ કરવો જરૂરી

769
guj28-9-2017-6.jpg

દામનગર લોક કલ્યાણને ગાજરીયું ઘાસ વિકરાળ રીતે ફેલાય છે. કુદરતી આશીર્વાદ સમાં વરસાદથી ત્રાબા વરણી ધરતી પર લીલી ચાદર બિચાવ્યાનો ભાસ થયા વગર ન રહે પણ સરકારી કચેરીઓ રોડ રસ્તાની બંને બાજુ સરકારી ગૌચર સરકારી ખરાબા નદી નાળાના પટ આ સર્વત્ર લીલુંછમ દેખાતું આ ઘાસ ભયંકર રીતે ફેલાતી આ ગાજર જેવા બી ધરાવતી વનસ્પતિ પ્રોસ્ટિક ઘાસ ઉગવા દેતી નથી અને ખૂબ રાક્ષસી રીતે ફેલાય છે. એ ગાજર જેવા બી ધરાવતી એકદમ કડવી અને ત્રણ થી ચાર ફૂટ જેવી ઉંચી થાય છે. એક વાત મુજબ જ્યારે દુષ્કાળ વખતે ઓસ્ટ્રેલિયાથી મોટી જેવા ઘઉં આયાત કર્યા ત્યારથી આ બિયારણ આવ્યું હોવાની વાત અવારનવાર સંભળાય છે. વર્તમાન સરકાર દર વર્ષની ૩૧ માર્ચે કરોડો રૂપિયા જાહેર જમીન જાળવણી પાછળ કાગળ પર લે છે. વાસ્તવમાં આ નાણાં જાહેર જમીન જાળવણી પાછળ ખર્ચ કરાય તો આવી ભયંકર સ્થિતિ ન હોય સર્વત્ર વિકરાળ રૂપે ઊગી નીકળેલ. આ અખાદ્ય ઘાસના કરવા સરકારની એકલા હાથની વાત રહી નથી એટલી હદે ફેલાયેલ આ વનસ્પતિને નાશ કરવા કર્મઠ કાર્યકરો સ્વૈચ્છિક સંસ્થા અને સરકાર બધા સાથે મળી અબોલ જીવો માટે કંઈક વિચારે જેમ સ્વચ્છતાના મિશન જેમ ખાસ રાજસતા ધર્મસંસ્થા સ્વૈચ્છિક સંગઠનોના સહિયારા પ્રયાસથી જ આ ઝેરી વનસ્પતિ નાશ થઈ શકે છે. વિકરાળ રૂપે ફેલાયેલ આ વનસ્પતિ માત્ર એક શહેર કે એક ગ્રામ્ય વિસ્તારની નથી. રાજ્યવ્યાપી સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા સમયોચિત ન્યાય નિર્ણય કરી અબોલ જીવો માટે કાર્ય કરવું જરૂરી છે.

Previous articleદામનગરમાં ૧લીએ હાર્દિક પટેલની રેલી
Next articleરાજુલામાં જય માતાજી યુવા ગૃપ દ્વારા ચાલતો નવરાત્રિ મહોત્સવ