GHCL કંપનીને આખરે નોટીસ અપાતા ઉપવાસી છાવણીમાં આનંદ

1645

પીપાવાવ ગામની આજુબાજના ગામોના મજુરો ખેડુતોના આજે ૪૧માં દિવસે આખરે તંત્ર દ્વારા થયેલ મુળભુત માંગણી જેમા ખાસ કરીને જીએચસીએલ અને ભાજપની ચાંચ જીલ્લા પંચાચયતના સદસ્યો રેખાબેન કમલેશભાઈ મકવાણા, મહેશભાઈ મકવાણા, રાજેશભાઈ મકવાણા દેવુબેન મકવાણા સહિત એક જ પરીવારના ૭ સભ્યોને જે તે સમયે જીલ્લા કલેકટર દ્વારા મીઠાના અગર બનાવવા જમીન ફાળવેલ જેમા આ જમીન ઉપરાંત બાજુની પડતર જમીનમાં પણ વાળી લીધેલ અને તેમાં જીંગા ફાર્મ બનાવી પડતર જમીનમાં પણ વાળી લીધેલ અને તેમાં જીંગા ફામ બનાવી દીધેલ તે બાબતે આ પીપાવાવ ગામના લોકોને અતિ રોષ ફેલાયેલ ઉપરાંત જીએચસીએલ કંપનીએ પણ આજ રીતે જમીન ગેરકાયદેસર કરીને તેમા પણ શરત ભંગ કરી જીંગા ફાર્મ બનાવી દેતા ગામના મજુરો ખેડુતોને મજુરી ગામમાં જ હોવા ગામથી હીજરત કરી ૭૦૦ કીલો મીટર પેટનો ખાડો પુરવા છેક દહેજ સુધી જાવુ પડે તે પણ પોતાના બાળકોના અભ્યાસની ઘુડ પાણી કરીને જો ગામમાં જ મજુરો ખેડુતોને રોજીરોટી મળી રહે તો બાળકોની જીંદગી બરબાદ થતી બચી જશે અને તમામ બાબતોને ધ્યાને રાખી કોળી સમાજ અને સામાપક્ષે પણ કોળી સમાજ અને આ આંદોલનથી રાજકીય લોકોને ભારે મોકો મળી ગયો કોળી સમાજ વિધાનસભામાં બહુમતીને તોડવા અનેક રાજકીય આગેવાનોેને મજા પડી ગઈ જો કે પીપાવાવ ગામનો પ્રશ્ન ગામ અને જ્ઞાતિ આગેવાનો સાથે બેઠકથી ધારે તો ઘર બેઠા સમાધાન થઈ જાય પણ વાતાવરમ ઉગ્ર બનતું ગયુ અને સામ સામે બેસવાનો મોકો ન આપ્યો ત્યારે પીપાવાવ ગામ નજીક કડીયાળી ગામના ભાજપના જ આખરે જીલ્લા કલેકટર દ્વારા જીએચસીએલ અને વાંધો હતો તે મકવાણા પરિવારને નોટીસ ફટકારાઈ જીલુભાઈ તેમજ માંધાતા ગ્રુપ પ્રમુખ મધુભાઈ, આતુભાઈ, માધુભાઈ જેવા ૬ મિત્રોએ તો આમરણાંત ઉપવાસ છેલ્લા ૨૩ દિવસથી કરી રહ્યા હોય અને સમાધાનનો કોઈ પણ માર્ગ આંદોલન કારીઓને સુજતો જ ન હોય જેનો લાભ રાજકીય લોકો ૨૦૧૯ની ચૂંટણી ધ્યાને રાખી તનતોડ મહેનત કોળી સમાજના બે ભાગ થાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થઈ ચુક્યુ હોય તેમા રાજકીય વગને કારણ જીલ્લા કલેકટર તાત્કાલીક કોઈ નિર્ણય કરી શકતા ન હોય કારણ આ સાત ભાજપના જ સબ્યોને જીલ્લા કલેકટર દ્વારા જ જમીન ફાળવી દેવાઈ હતી અને તે જમીનનો જ શરત ભંગ થયો હોવા છતા કોઈ કાર્યવાહી થતી નહી થુક્યુ કેમ ગળાય જેવા ઘાટ જીલ્લા કલેકટર દ્વારા જ રાજ્ય સરકાર સુધી કરવામાં આવેલ જેનો જીલ્લા કલેકટર દ્વારા જીએચસીએલ અને સાત મકવાણા પરીવાર પર નોટીસ ફટકારતા આંદોલન છાવણીમાં ખુશીનો માહોલ છવાયો આ બાબતે જિલ્લા કલેકટર કચેરી દ્વારા તમામને નોટીસ અપાઈ ગઈ છે અને તેને આગામી તા.૧૧-૬ના રોજ કલેકટર કચેરી ખાતે તેની સુનવણી પણ રાખી છે મીઠાના અગરો માટે ફાળવેલી જમીનો મા શરત ભંગ કરી જીંગા ફાર્મ બનાવાયા છે. ઉપરાંત સરકારી પડતર જમીનોમાં પણ દબાણ કર્યાનું કહેવાય છે તો જમીન વિહોણા મજુર વર્ગના લોકોને આ જમીન મળવાપાત્ર હોય જેનો ઉપયોગ અત્યાર સુધી રાજકીય માથાઓ અને ઉપર લેવલે તંત્રની સાથે મીલી ભગતથી જ થયો છે. તેવુ જણાઈ આવે છે જે તે પણ ઉપવાસ છાવણીના આંદોલન કારીઓ પાસે હવે કોળી સમાજના આગેવાનોએ આવવુ જોઈએ અને પીપાવાવ ગામ તથા આજુબાજુના ગામોના બાળકો મહિલાઓના આર્શીવાદ લેવા જોઈએ તેવી લોક લાગણી ફેલાવા પામી છે.

Previous articleરાણપુરમાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અર્થે મિટીંગ યોજાઈ
Next articleસિહોર ન.પા. દ્વારા ગ્રાન્ટનો થતો દુર ઉપયોગ અટકાવવા રજૂઆત