શહેર ભાજપ કાર્યકરોને પૂર્વ મુખ્યમંત્રીએ સંબોધ્યા

698
bhav4102017-4.jpg

આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં શહેર ભાજપના યુવા કાર્યકરોને રણનીતિથી અવગત કરવા અને માર્ગદર્શન આપવા માટે રામવાડી ખાતે મિટીંગ યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના સહપ્રભારી તથા હિમાચલપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રમેશચંદ્ર પોખરીયાલ, કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવ્યા, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ભાવનગર પૂર્વ વિભાવરીબેન દવે, મેયર નિમુબેન બાંભણીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી રમેશચંદ્રએ યુવા કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી મંત્રણા કરી હતી.   ડાભી

Previous article સિહોરના માલકાણી પરિવાર દ્વારા તાજીયા ઝુલુસમાં નાસ્તાનું વિતરણ
Next article મોંઘવારી અને ભાજપ સરકાર સામે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન