સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સુત્ર કર્યુ સાકાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગાંધી જયંતિના દિવસે સિહોરમાં બિરાજતા દેવોના દેવ મહાદેવનો વાસ છે તેવા નવનાથ તેમજ આજુબાજુના સ્થળોની શાળા પરિવારના પી.કે. મોરડીયા અને આચાર્ય અનિકેતભાઈ રાજ્યગુરૂની આગેવાનીમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો બહોળી સંખ્યામાં જોડાયા હતા ત્યારે વિદ્યાર્થી મિત્રોએ જણાવેલ કે અમોને આ ધાર્મિક સ્થળોની સફાઈ કરવાનો મોકો મળ્યો તે માટે ધન્યતા અનુભવીએ છીએ.