ભરતનગર વિસ્તારમાં સરદાર પટેલની ૧૪રમી જન્મજયંતિ નિમિત્તે બેતાળા ચશ્મા કેમ્પ યોજાયો

876
bhav31102017-3.jpg

લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪રમી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ભરતનગર ખાતે શિશુવિહાર સંસ્થા આયોજીત દ્રષ્ટી ચકાસણી અને ચશ્મા વિતરણ કરેલ. જેમાં શેઠ ભુપતરાય ટપુભાઈ શાહ તથા સુધાબેન કનુભાઈ શાહના સહકારથી તેમજ સરદાર યુવા મંડળ-ભરતનગરના સહયોગથી ભરતનગર ખાતે ૧૧૬ ભાઈ-બહેનોને આંખ તપાસીને ચશ્મા વિતરણ કરેલ. જેમાં મીનાબેન મકવાણા, દારેન જાજલ, ભરત મોણપરા, કાનજી બાંભણીયાએ જહેમત ઉઠાવી હતી.

Previous article સિહોર ઔ. અગિયારસે જ્ઞાતિનો સ્નેહમિલન સમારોહ યોજાયો
Next article ગોહિલવાડમાં આજે તુલસી વિવાહની થશે ઉજવણી