શહેર કોંગ્રેસ દ્વારા સરદાર જયંતિ, ઈન્દિરાજીની પૂણ્યતિથી ઉજવાઈ

1305
bhav1112017-6.jpg

ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરાજીની પૂણ્યતિથીની આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સરદારબાગ (પિલગાર્ડન )ખાતે સરદાર પટેલની પ્રતિમાને પૂષ્પાંજલી અર્પણ કરી નારા લગાવ્યા હતા જ્યારે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ રાજેશ જોશી સહિત આગેવાનો દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરાજીની તસવીરને પૂષ્પાંજલી કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કોર્પોરેટરો, મહિલા આગેવાનો, તથા વિવિધ સેલના હોદ્દાદારો અને કાર્યકરો જોડાયા હતા. 

Previous article ભાજપ યુવા મોર્ચા દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો 
Next article માજી સૈનિક સંગઠન દ્વારા શહિદોનાં પરીવાર, માજી સૈનિકોનું સન્માન કરાયું