રાભડા પ્રા.શાળાના વિદ્યાર્થીઓ કવિ કલાપી તિર્થની મુલાકાતે

1575

દામનગરના રાભડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સમાજિક વિજ્ઞાન શિક્ષક મહેશભાઈ મોટકા  પ્રજ્ઞા શિક્ષિકા મીનાબેન પટેલ સહિત  ધોરણ ૬થી૮ ના બાળકો સાથે કલાપી તીર્થની મુલાકાતે.મૃદુહદયના કવિ કલાપીના જીવન કવનને તાદ્રશ્ય કરતા સંગ્રાલયની મુલાકાત લીધી કલાપી તીર્થ મંદિર લાઠી ખાતે બાળકોને આપણા રૂજૂ હદયના પ્રજાવત્સલ રાજવી કવિનો ઐતિહાસિક પરિચય કરાવી ગુજરાતી સાહિત્ય સાધક કલાપીનો તલસ્પર્શી પરિચય માર્ગદર્શક શિક્ષક મોટકા મહેશભાઈએ કરાવેલ હતો બાળકોએ આપણા કલા વારસાને માણી ગૌરાન્વિત થયા કલાપી તીર્થ મંદિરમાં કલાપીના જીવન કવનમાં ઉપયોગમાં લેવાયેલ ચીજ વસ્તુ નિહાળી ખુશ થયા સંગ્રાલયમાં સચાયેલી સ્મૃતિઓનું વિશાળ પ્રદશન રાભડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કલાપી સંગ્રાલય નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.

Previous articleસિહોર ‘લોકસંસાર’ના પ્રતિનિધિ કૌશિક વ્યાસના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી
Next articleપીથલપુરની મહિલાઓએ માટીના ગણેશજીનું ગોપનાથ વિસર્જન કર્યું