અનામત મુદ્દે કોંગ્રેસ પાટીદારોને ઉલ્લુ બનાવે છે : વિજય રૂપાણી

862
guj10112017-6.jpg

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ વડોદરામાં રાજકીય આગેવાનોની અવરજવર વધી ગઇ છે. સીએમ વિજય રૂપાણી આજે વડોદરાના ન્યૂ સમા રોડ વિસ્તારમાં ફરી નાગરિકો સાથે જનસંપર્ક કર્યો હતો. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, અમે આ ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠકો  મેળવીને કોંગ્રેસને ઉખાડીને ફેંકી દઇશું. વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે આજે સીએમ વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે છે.
સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ જાતિવાદની રાજનિતી રમી રહ્યુ છે તે અમે નહીં ચલાવી લઇએ અને પ્રજા પણ હવે સમજી ગઇ છે. કોંગ્રેસ પાટીદારોને અનામતના મામલે ઉલ્લુ બનાવી રહી છે.

Previous articleઅનામત વગર પણ વ્યક્તિ આગળ વધી શકેઃ સામ પિત્રોડા
Next articleકોંગ્રેસ અને પાસની અધરાત-મધરાતની ‘અનામત’ ચર્ચા નિષ્ફળ, બે દિ’માં ફરી મળશે