મહાકવી ચંદબરદાઈની પ્રતિમા અનાવરણ કાર્યક્રમનું મુખ્યમંત્રી રૂપાણીને આમંત્રણ અપાયું

1088

રાજકોટ ખાતે મહાકવી ચંદબરદાઈજીની પ્રતિમાનું અનાવરણ તથા બારોટ સમાજની વાડીના ઉદ્દઘાટન માટે રાજકોટ યુવાન બારોટ સોશ્યલ ગૃપ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રણ અપાયું હતું અને તેનો સ્વીકાર કરી. તેઓ કાર્યક્રમમાં હાજર રહેશે તેમ જણાવતા બારોટ સમાજમાં ખુશીનો માહોલ સજાર્યો હતો.

સમસ્ત વહીવંચા બારોટ સમાજના ઉત્કર્ષ માટે મહાકવી ચંદબરદાઈની પ્રતિમાનું અનાવરણ તથા બારોટ સમાજની વાડીનું ઉદ્દઘાટન રાજકોટ ખાતે કરવામાં આવનાર છે.જે માટે પ્રમુખ કનકભાઈ બારોટ દ્વારા અગાઉ મોરારિબાપુને પણ આમંત્રણ અપાયેલ જયારે મુખ્યમંત્રીને આમંત્રણ આપવા કનકભાઈ ઉપરાંત ગુલાબદાન બારોટ, મનોજભાઈ બારોટ, કિરીટભાઈ બારોટ દ્વારા આમંત્રણ અપાયેલ કાર્યક્રમમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Previous articleઉપલેટા મોજેશ્વર મંદિરેથી ભ્રમણશીલ જમાતની વિદાય
Next article‘બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની’  વિષય પર જિલ્લા બાળ સુરક્ષા, બોટાદ દ્વારા તાલીમ યોજાઈ