રાજુલાની સંઘવી હાઈસ્કુલના પ્રિન્સીપાલનો વિદાય સમારોહ

770
guj18112017-3.jpg

રાજુલાની જે.એ. સંઘવી હાઈસ્કુલના પ્રિન્સીપાલ એમ.એમ. સાવલીયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા શાળા તેમજ રાજુલા પંથકના શિક્ષકો શહેરના આગેવાન શ્રેષ્ઠીઓ તેમજ જી.આ. કેળવણી ટ્રસ્ટના બીપીનભાઈ લહેરીના અધ્યક્ષસ્થાને તેમજ હાઈસ્કુલના પંપાણીયા, ડો.મુછડીયા, જાયન્ટસ ગ્રુપના મિત્રો, ગર્લ હાઈસ્કુલના આચાર્ય જે.એન. ખાચર, કિશોરભાઈ વરૂ, રામ હાજર રહી શાળા તરફથી સાવલીયાને સ્મૃતિ ચિન્હ તેમજ સન્માનપત્ર શ્રીફળ સાકર અને શાલ ઓઢાડી વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા હાઈસ્કુલના ઈ.આચાર્ય ડી.એ. પંપાણીયા તેમજ સુપરવાઈઝર બી.પી. જોશી તેમજ હાઈસ્કુલના તમામ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.

Previous articleએચડીએફસી બેન્કે રાજકોટમાં સ્ટાર્ટ-અપ્સ માટે સ્માર્ટઅપ ઝોન લોન્ચ કર્યુ
Next articleટીંબી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત