નર્મદા નિગમનો ભ્રષ્ટાચાર ખુલ્યો : ક્લાસ વન ઓફિસર સામે અપ્રમાણસર મિલકતનો ગૂનો દાખલ

828

અન્ટી કરપ્શન બ્યૂરો (છઝ્રમ્)એ અપ્રમાણસરની મિલકતનાં સંદર્ભમાં સરદાર સરોવર નર્મદા નિગમનાં કાર્યપાલક ઇજનેર (ક્લાસ વન ઓફિસર) ગૂનો દાખલ કર્યો છે અને નર્મદા નિગમમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્‌યો છે. આ ગૂનો સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં, ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ-૧૯૮૮(સુધારો-૨૦૧૮) કલમ ૧૩(૧)(બી) ૧૩(૨) મુજબ નોંધાયો છે.

આ કેસમાં એન. કે.વ્યાસ, (ઈ.ચા. પોલીસ ઈન્સ્પેક્ટર), દેવભૂમિ દ્વારકા, (એ.સી.બી. પોલીસ સ્ટેશન) ફરિયાદી બન્યા છે. એસીબીએ મહેશભાઈ ધનજી ભાઈ પટેલ, કાર્યપાલક ઇજનેર , વર્ગ-૧, સરદાર સરોવર નર્મદા નિગમ સૌરાષ્ટ્ર પેટા વિભાગ, ધ્રાગધ્રા, (રહે. મુળ- સારવણી, તા-ચીખલી, જી-નવસારી) સામે ગૂનો દાખલ કર્યો છે.

એસીબીને આ ક્લાસ વન ઓફિસર પાસેથી રોકડ રૂ .૪૬,૨૦ લાખ અપ્રમાણસરની મિલકત મળી છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ કામનાં આરોપી વિરુદ્ધ તા-૧૪-૧૧-૧૮ ના રોજ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગૂનો નોંધ્યો હતો અને આ આરોપીની ૧૪ નવેમ્બરનાં રોજ અટકાયત કરવામાં આવી હતી. આ સમયે આરોપીની અંગજડતીમાથી રોકડ રુ ૩૧૦૦, તથા તેના વતનના રહેણાક મકાનની ઝડતી દરમ્યાન રોકડ રુ ૪૨૪૫૪૦૦/- તથા તેના ધ્રાગધ્રા ના રહેણાક મકાને ૧૫ નવેમ્બરનાં રોજ ઝડતી દરમ્યાન રોકડ રુ ૩૪૪૪૭૦ મળી કુલ રોકડ રુ ૪૬,૨૦૮૭૦ ની અપ્રમાણસર મિલ્કત મળી આવેલી હતી. જે રકમ અંગે પૂછપરછ કરતા આ રકમ અલગ અલગ કોન્ટ્રાકટરો પાસે થી ૧% કમીશન પેટે મેળવેલી હોવા નું જણાવતા ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

Previous articleત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને  ભારતે ૪૮ રનથી હરાવ્યું
Next articleમહેસાણા જિલ્લામાં સહકાર સપ્તાહ સંમેલન યોજાયું : મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ