ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે સિહોર કોંગ્રેસ દ્વારા ધરણા

1024

ગુજરાતમા બે દાયકા ઉપર ભાજપની સરકાર છે અને ત્યારથી ખેડુતો સાથે પશુ પાલકોની માઠી બેઠી છે સમયંતારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખેડૂતો, પશુપાલકોની વહારે આવી લડત આપી છે જેમા હાલ પણ ખેડૂતોને અને પશુપાલકો મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં ધરણા યોજી રહી છે તેના ભાગ રૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાની સુચના અનુસાર સિહોર શહેર /તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજ રોજ તા. ૨૨ / ૧૧ / ૨૦૧૮ને ગુરૂવાર ના રોજ સવારે ૧૧ થી સાંજે ૪ કલાક સુધી વડલા ચોક સિહોર ખાતે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદિપસિંહ ગોહિલ અને સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોકુળભાઇ આલની આગેવાની હેઠળ ધરણા કાર્યક્રમ યોજાયો હતો આ ધરણા કાર્યક્રમમાં ધીરૂભાઈ ચૌહાણ, કિરણભાઇ ઘેલડા, મુકેશભાઇ જાની, અમિતભાઇ લવતુકા, દિલીપસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ સરવૈયા  ક્રિપાલસિંહ ગોહિલ, કિશનભાઇ મહેતા, વિજયભાઈ આલ, ઇકબાલભાઇ સૈયદ, વહિદાબેન પઢીયાર, ગીતાબેન કોતર, કેતનભાઇ જાની, ધમભા કનાડ, અશોકભાઈ મામસી, અમૃતભાઇ રાઠોડ  સાથે સિહોર શહેર અને તાલુકાના કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતાં.

Previous articleBSNL નિવૃત્ત કર્મચારીઓના ધરણા…
Next articleમોરારિબાપુ દ્વારા તલગાજરડા ખાતે રવિવારે સંતવાણી એવોર્ડ કાર્યક્રમ