કોંગ્રેસના પ્રવિણ રાઠોડે પાલીતાણા ખાતે ફોર્મ ભર્યુ

766
bvn21112017-1.jpg

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જુવાળ વચ્ચે પણ ર૦૧રમાં ભાવનગર જિલ્લાની એકમાત્ર પાલીતાણા બેઠક પર વિજેતા થનાર કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ રાઠોડે આજે ર૦૧૭ની ચૂંટણી માટે પાલીતાણા ખાતે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ હતું. ભાવનગર જિલ્લાની ર૦૧રમાં ૯ બેઠકોમાંથી એકમાત્ર પાલીતાણા બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો હતો. 
પાલીતાણા બેઠક માટે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા પ્રવિણ જીણાભાઈ રાઠોડે આજે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી તેઓ ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા. જ્યારે સુભાષભાઈ કેશુભાઈ સવાણીએ ડમી તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતું.

Previous articleવિભાવરીબેન દવેના ચૂંટણી કાર્યાલયનું આનંદીબેન પટેલના હસ્તે ઉદ્દઘાટન
Next articleગુજરાત જનચેતના પાર્ટીના મનુભાઈ ચાવડાએ ગારિયાધારમાં ઉમેદવારી કરી