દામનગર સિનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા ભજીયાનો પ્રોગ્રામ

1031
bvn27112017-2.jpg

દામનગર શહેરની નવરચિત સંસ્થા સિનિયર સીટીઝન ટ્રસ્ટના વાત્સલ્ય મૂર્તિ સમા વૃધ્ધોની રમુજ સાથે રેસિપીમાં મોટાભાગના વૃધ્ધોએ ભાગ લીધી હતો. 
કુદરતી પ્રકૃતિના સાનિધ્યમાં લટુરિયા હનુમાનજી મંદિર દામનગર ખાતે સિનિયર સીટીઝન દ્વારા આયોજીત ભજીયાનો પ્રોગ્રામ વૃધ્ધોની વિનોદ વૃત્તિ વૃધ્ધ પુરૂષો દ્વારા ભજીયા બનાવી વૃધ્ધ મહિલાઓને જમાડ્યા હતા. સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા શહેરભરમાંથી વાત્સલ્ય મૂર્તિસમા વૃધ્ધોની વિશાળ હાજરી કોઈ જાતના ભેદભાવ વગર શહેરભરમાંથી વૃધ્ધોની હાજરી ખુબ વિનોદ વૃત્તિ સાથે ભજીયાનો પ્રોગ્રામ યોજી આનંદિત કરતા વૃધ્ધો જાત મહેનત જીંદાબાદ કરી ભજીયા બનાવી આરોગતા શહેરભરના વૃધ્ધોની અદ્દભૂત વિનોદ વૃત્તિ આ પ્રોગ્રામમાં જોવા મળી. દામનગર શહેરમાં નવરચિત સંસ્થા સિનિયર સીટીઝન ટ્રસ્ટના દેવચંદભાઈ આલગિયા, બાબુભાઈ દેવાણી, વજુભાઈ સિધ્ધપુરા, રમેશભાઈ સોલંકી, સુરેશભાઈ ત્રિવેદી, નરસીભાઈ હુનાણી, ભીમજીભાઈ ચોવટીયા, દેવરાજભાઈ ઈસામલિયા, હિંમતબાપુ નિમાવત, સેવાદાસબાપુ દેવજીભાઈ ગોંડલીયા સહિતના વૃધ્ધોનું સુંદર આયોજન ભજીયા સાથે ભાવાત્મક રમૂજ કરતા વૃધ્ધોની વિનોદવૃત્તિ સાથે પ્રોગ્રામ યોજાયો હતો.

Previous articleપાલીતાણા જેલમાં કેદી ભાઈઓ માટે વાંચન હરિફાઈ યોજાઈ
Next articleજેસર તાલુકાના જુનાપાદર ગામે ૭ ગામોના ખેડૂતોએ વિધાનસભા ચૂંટણીમાં મત ન આપવાની ચિમકી આપી