રાજકોટને એઈમ્સ ફાળવવા બદલ મંખ્યમંત્રીનો આભાર

756

ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેની સમગ્ર ટિમ ના અથાગ પ્રયત્નો દ્વારા ગુજરાત ના નાગરિકો માટે રાજ્યના હ્રદય સમાન રાજકોટ ના ખંઢેરી ખાતે વિશ્વ કક્ષાની હોસ્પિટલની અમુલ્ય ભેટ આપવામાં આવી છે.

આ તકે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ નાગદાનભાઈ ચાવડાએ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ વતી “એઈમ્સ” ની ભેટ આપવા બદલ ગુજરાતનાં પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તેમજ ગુજરાતનાં યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને તેમના આ આરોગ્ય લક્ષી નિર્ણય ને આવકાર્યો હતો.

તો સાથે સાથે સૌરાષ્ટ્ર વાસીઓને રાજકોટ ખાતે AIMS નો લાભ મળશે જેના દ્વારા સૌરાષ્ટ્રવાસીઓને તેમજ સમગ્ર ગુજરાત ની પ્રજાને વિશ્વકક્ષાની આરોગ્ય સેવા નો લાભ ઘર આંગણે પ્રાપ્ત થશે તેવું નાગદાનભાઈએ તેમના એક નિવેદનમાં જણાવ્યુ હતું.

Previous articleસાબરકાંઠા જિલ્લામાં નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ : પાંચ આરોપી ઝડપાયા
Next articleગાંધીનગરમાં અદાલતે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારી