રાજુલામાં ર૭મીએ ભવ્ય સમુહ લગ્ન ૪પ નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાશે

599

રાજુલામાં આગામી ર૭મીએ ભવ્ય ર૪મો ભવ્ય સમુહ લગ્ન યોજાશે. જેમાં ૪પ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. આ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રાજુલા ખાતે આગામી ર૭મીએ સર્વજ્ઞાતિ સમુહ લગ્ન માર્કેટીંગ યાર્ડમાં યોજાશે. જેમાં ૪પ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. આ તકે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેનું રકતદાન રાજુલામાં શરૂ થયેલ બ્લડ સ્ટોરેજમાં અપાશે અને સારવાર થશે. આ સમુહ લગ્ન સ્વ.ઓધવજીભાઈ રામજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આયોજન થઈ રહ્યું છે. જેમાં પાનેતર શાંતુબેન સોલંકી લેશે. જ્યારે કન્યાદાન પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી કરશે. આ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Previous articleબોટાદના નવહથ્થા હનુમાનજી મંદિરે સામાજીક સમરસતા યજ્ઞ
Next articleજાફરાબાદના વડલી ગામની દલીત બહેનોની શિબિર યોજાઈ