ધંધુકામાં કોંગ્રેસ દ્વારા વિજય શંખનાદ સંમેલન

1006
bhav1092017-2.jpg

અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસના ઉપક્રમે ધંધુકા કીકાણી કોલેજના કંપાઉન્ડમાં જંગી વિજય શંખનાદ ૨૦૧૭ સંમેલન યોજાયુ છે આ સંમેલનમાં કોગી કાર્યકરો તથા જનતા મોટી સંખ્યામાં ઉટી રહી હતી. આ સંમેલનમાં યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજા અમરીન્દ્રસિંહ, ગુજરાત પ્દેશના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ઈન્દ્ર વિજયસિંહ ગોહિલ, આઈ સી.સી.ના સેક્રેટરી જીતુભાઈ પટવારી, ગુલાબસિંહ રાજપુત, અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.એ.આી.સી.સી.ના સેક્રેટરી તથા ઉજ્જેનના એમ.એલ. જીતુભાઈ પટવારીએ તેલના પ્રવચનમાં જણાવ્યું હતું કે ૨ કરોડ લોકોને રોજગારી આપવાનું ભાજપે વચન આપ્યુ હતું તેનું શું થયું ? તેવો સવાલ તેમણે કર્યો હતો ગુજારાતમાં થતી ખેડુતોની આત્મહત્યાનો સવાલ પણ પટવારીએ ઉઠાવ્યો હતો. કોંગ્રેસ આવશે તો યુવાનોને નોકરી આપશે જો નોકરી ન મળે તો ૩૦૦૦ રૂપીયા બેકારી ભથ્થુ આપશે.

Previous article ઠાડચ-નાની રાજસ્થળીની ટીમ ખેલ મહાકુંભમાં જિલ્લામાં પ્રથમ
Next article ભાજપનાં યુવા ટાઉનહોલ કાર્યક્રમ તળે આજે ભાવેણાનાં યુવાનો અમીત શાહ સાથે સંવાદ કરશે