લેખાનુદાન દ્વારા મોદીએ સંસદીય પ્રણાલિને ભંગ કરીઃ શક્તિસિંહ

589

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા તેમજ સંસદીય પ્રણાલિ અંગેના તજજ્ઞ શક્તિસિંહ ગોહિલે આ અંગે જણાવ્યું હતું કે,લોકસભા ચૂંટણી પહેલાં લેખાનુદાન રજૂ કરવાની આપણા દેશની કોઈ સંસદીય પરંપરા રહી નથી.

બંધારણમાં પણ આ પ્રકારની કોઈ જોગવાઈ રહી નથી. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સત્તા સંભાળતની સાથે જ જાણે સ્થાપિત સંસદીય પ્રણાલિઓના લીરા ઉડાડવાનું નક્કી કર્યું હોય તેમ સૌથી પહેલાં લોકસભા ચૂંટણી પહેલાં લેખાનુદાન રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.

આમ, મોદીના શાસનકાળથી આ પ્રણાલિ ગુજરાતમાં ચાલી આવે છે જે દેશમાં બીજે ક્યાંય નથી.

Previous articleબજેટ સત્ર પડતું મૂકી ધાનાણી-ચાવડા દિલ્લી જવા રવાના?
Next articleઆપાતકાલ સેવાઓ માટે હેલ્પલાઇન નંબર-૧૧૨નો રાજ્યના ૭ જિલ્લામાં પ્રારંભિક તબક્કામાં પ્રારંભ