સાબરડેરીમાં પરિવતૅનનો પવન ફુંકાયો  જેઠાભાઈ પટેલના સુંપડા સાફ

1083

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દુધ ઉત્પાદકો ની જીવાદોરી સમાન ગણાતી સાબરડેરીમાં પરિવતૅન નો પવનફુંકાતા સાબરડેરી માંથી જેઠાભાઈ પટેલ ના સુંપડા સાફ થઈ ગયા છે. અને તેમના સામ્રાજય નો અંત આવી ગયો છે. મહેશભાઈ પટેલ ને સાબરડેરી ના ચેરમેન પદ ની જવાબદારી મળી છે.

તો બીજી તરફ જયંતિભાઈ પટેલ વાઈસ ચેરમેન પદ ની જવાબદારી મળી છે. આજે સાબરડેરી ના ચેરમેન પદ ની ચુંટણી યોજાતા સાબરડેરી માં જેઠાભાઈ પટેલ ના સુંપડા સાફ થઈ ગયા હતા. અને તેમના સામ્રાજય નો અંત આવતા પશુપાલકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

ડેરી ના ચેરમેન પદ માટે ત્રણ ઉમેદવારો એ તેમના ઉમેદવારી ફોમૅ ભયૉ હતા. જેમાં થી જેઠાભાઈ અને શામળભાઈ પટેલ એ ફોમૅ પરત ખેંચતા મહેશભાઈ પટેલ ચેરમેન તરીકે ચુંટાયેલા જાહેર કયૉ હતા. તો અરવલ્લી ના વાઈસ ચેરમેન પદ તરીકે જયંતિભાઈ પટેલ પણ બિનહરીફ જાહેર થયા હતા.

Previous articleહાર્પિકે નવુ બાથરૂમ કલીનર લોન્ચ કર્યુ
Next articleગાંધીનગરમાં વિશ્વ ચકલી દિન નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક” ઉજવાશે