સિહોરથી ભાવનગર અભ્યાસ માટે હજ્જારો વિધાર્થીઓ અને કામદારો રોજ અપડાઉન કરે છે દરેકને સમયસર પોહચવા માટે કોઈ પ્રાઇવેટ વાહનનો સહારો લે છે કોઈ એસટી બસ દ્વારા અપડાઉન કરે છે ખાસ કરીને સમયસર પોહચવા માટે વિધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને એસટી વિભાગના કર્મચારીઓ સાથે રોજ મગજમારી સાથે લમણા જિકમાં ઉતરવું પડે છે આજે ભાવનગર પાલીતાણા એસટી બસ સિહોરથી પસાર થતી વેળાએ ખાખરીયા ગામે પોહચતા ત્યાં અપડાઉન કરતા વિધાર્થી દ્વારા રોકવાની કોશિશ કરી હતી જોકે બસમાં જગ્યા નહીં હોવાથી ચાલકે બસ નહિ રોકતા વિધાર્થી રોષે ભરાઈને બસ પર પથ્થરમારો કરીને પાછળ સાઈડનો કાચ તોડીને નુકશાન કરાયું હતું જોકે ચાલાક દ્વારા જે તે અધિકારીઓ ને જાણ કરીને મામલો પોલીસ મથક સુધી લઈ જવાયો હતો જયારે અન્ય એક બનાવમાં દ્વારકાથી ભાવનગર જતી એસટી બસ પર સિહોર એસટી બસ સ્ટેન્ડમાં આજ રીતે પથ્થરમારો થયો હતો લોકોના ટોળા એકઠા થયા હતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મામલો થાળે પાડી દેવાયો હતો જોકે બન્ને ઘટનામાં પોલીસ ફરિયાદ થવા પામી છે.