જુની બારપટોળી સન્યાસ આશ્રમે સાહિત્ય પરિષદનું આયોજન થયું

720
GUJ1612018-1.jpg

રાજુલાના જુની બારપટોળી પરમહંસ સંન્યાસ આશ્રમે જાગતી જયોતમાં ઉર્જામૈયા દ્વારા આયોજીત સાહિત્ય પરિષદ ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે સાહિત્ય રસીકો માટે યોજાઈ હતી. રાજુલા તાલુકાના જુની બારપટોળી પરમહંસ સંન્યાસ આશ્રમે જાગૃતિ જયોતમાં ઉર્જામૈયા આયોજીત ભારતી સંસ્કૃતિની જાળવણી માટે સાહિત્ય પરિષદની અગત્યની બેઠક યોજાઈ જેમાં સાહિત્ય રસીકો જોરૂભાઈ ધાખડા, ઉચૈયા રામકુભાઈ વરૂ, કાગવદર વીરાભાઈ ધાખડા, લોઠપુર ધારાસભ્ય અંબરીષભાઈ ડેરાના પિતાશ્રી જે.પી.ડેર તેમજ ભાગવાતાચાર્ય રામાયણ જેવા મહાન ગ્રંથોના વકતા વસંતદાદા કડીયાળી હાલ ટીંબી તેમજ બહોળી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓની સાહિત્ય પરીષદ યોજાઈ હતી. 

Previous articleજાફરાબાદમાં વીર માંધાતાની વિશાળ શોભાયાત્રાનું આયોજન
Next articleરાજુલા પહોંચેલ જયોતિ રથયાત્રાનું ધારાસભ્ય, આગેવાનો દ્વારા સ્વાગત