બિહોલા રાજપુત સમાજનો દશાબ્દી મહોત્સવ અને સંમેલન યોજાયું

601

બિહોલા રાજપુત સમાજનો રાજય કક્ષાનો સંમેલન અને દશાબ્દી મહોત્સવનું આયોજન વાત્રક કિનારે અમરભારતી શાળા સંકુલમાં યોજવામાં આવ્યો હતો. પ્રાર્થના દીપ પ્રાગટય બાદ પ્રમુખ

પૃથ્વીસિંહ બિહોલા (એડવોકેટ ગાંધીનગર), વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, તેમજ દસક્રોઈના વિપક્ષના નેતા બળવંતસિંહ બિહોલા, રતનબેન રાતડીયા, વિસાજી બિહોલા, જલુસિંહ બિહોલા વગેરે મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ બિહોલા રાજપૂત સમાજનો ગૌરવવંતો ઈતિહાસ વાગોળ્યો હતો અને કેટલાંક મહત્વના પ્રસંગો યાદ કર્યા હતા. દિલીપસિંહ બિહોલા એડવોકેટે અહેવાલ તૈયાર કર્યો હતો.

Previous articleબાપુ કોલેજના ફાર્મસી કેમ્પસમાં ઈન્ટરવ્યું યોજાયા
Next articleગુડા વિસ્તારમાં પીવાનું પાણી ડહોળું આવતાં લોકોમાં રોષ