ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.કોમ.ની વિદ્યાર્થિનીઓ માટે ટાઈમ મેનેજમેન્ટ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. વર્તમાન સમય એ આધુનિક ટેકનોલોજીનો છે આજે આંગળીના ટેરવે વિશ્વની માહિતી પ્રાપ્ત કરી શકાય છે. પરિણામે લોકોનું ટાઈમ મેનેજમેન્ટ વિખેરાઈ ગયું છે. આજના વિદ્યાર્થીઓ પાસે ટાઈમ મેનેજમેન્ટનો અભાવ હોવાથી તે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકતો નથી આથી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ટાઈમ મેનેજમેન્ટ વિષય ઉપર રવિન્દ્રસિંહ સરવૈયાનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.