ખાંભા ખાતે ‘આહિરાતના પોંખણા’ કાર્યક્રમ યોજાયો

756
guj30-1-2018-5.jpg

ખાંભા ખાતે ‘આહિરાતના પોંખણા’ અંતર્ગત આહિર કર્મચારી દ્વારા સત્કાર સમારંભ યોજાયો. જેમાં વિવિધ ક્ષેત્રના આહિર સમાજના આગેવાનોના સન્માન ધારાસભ્ય અંબરીશભાઈ ડેર સહિત આહિર સમાજના સન્માનિત કરાયા હતા.
ખાંભા ખાતે ‘આહિરાતના પોંખણા’ અંતર્ગત આહિર સમાજના કર્મચારીઓ દ્વારા ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું આયોજન થયું. જેમાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, બારપટોળીના શિક્ષક લખનભાઈ કે જેણે વિદ્યાર્થીઓએ કોઈ દિવસ સપનું પણ નહીં આવ્યું હોય કે આપણે વિમાનમાં મુસાફરી કરીશું તેવા નાના પરિવારના વિદ્યાર્થીઓને લખનભાઈએ વિમાનમાં મુસાફરી કરાવેલ શિક્ષક લખનભાઈનું સન્માન ધારાસભ્ય અંબરીશભાઈ ડેરની સુચનાથી સન્માનિત કરાયા તેમજ આ તકે ડો.વાઘશીને કાર્યક્રમના અધ્યક્ષતાથી ખાંભા હાઈસ્કુલની પ્રિન્સીપલ સોલંકી તેમજ શિક્ષક સંઘના પ્રમુખ વસરા, પૂર્વ ખાંભા તાલુકા પ્રમુખ ભીખુભાઈ ભમ્મર, નાયબ મામલતદાર હસમુખભાઈ કાછડ તેમજ હિતેશભાઈ કાતરીયા, જોરૂભાઈ જાજડા, ગીગાભાઈ વાઢેર, વાસુરભાઈ ભુવા, ડો.કલસરીયા, રાજુલા સીવીલ હોસ્પિટલ, કિશોરભાઈ વરૂ, રાજુલા સંઘવી હાઈસ્કુલ, ભાણભાઈ મેગળ, ધાનાભાઈ જોટવા, હડીયા તેમજ આહિર સમાજના તેજસ્વી આહિરાતના પોંખણા બહોળી સંખ્યામાં ઉપસ્થિત વડીલોના કરાયા હતા.

Previous article વઢેરા ગામે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
Next article જીએલએસ યુનિવર્સિટી દ્વારા વાર્ષિકોત્સવ યોજાયો