દાંડી કુટીર આજથી ૧૦ દિવસ જાહેર જનતા માટે બંધ રહેશે

1115
gandhi322018-3.jpg

ગાંધીનગરમાં કરોડના ખર્ચથી મહાત્મા મંદિરનું નિર્માણ કરાયુ છે. દેશ વિદેશના મહાનુભાવો અહીં મુલાકાત કરી ચુક્યા છે. તેમજ દેશ-વિદેશના પર્યટકો પણ દાંડી કુટીરની મુલાકાતે આવતાં હોય છે. ત્યારે આગામી તારીખ ૩ જી ફેબ્રુઆરીથી ૧૨મી ફેબ્રુઆરી દરમિયાન સંગ્રહાલયની મેઇન્ટેન્સની કામગીરી હાથ ધરવામાં આવતાં ૧૦ દિવસ માટે જનતા માટે સંગ્રહાલય બંધ કરવામાં આવશે. ગાંધીજીના બાળપણથી લઇને રાજનિતી ગતિવિધિને દર્શાવવા દ્રશ્ય-શ્રાવ્યની પ્રસ્તુતિ માટે બનાવવામાં આવેલી દાંડી કુટીરમાં રોજ પર્યટકો આવે છે. 

Previous articleસ્થાયી સમિતી મનપાના આખરી બજેટને ઓપ આપશે
Next articleGIDCમાંથી પકડાયેલા રૂા.૬.૫૦ લાખનાં દારૂ કેસમાં વોન્ટેડ ઝડપાયો