ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકોના શૈક્ષણિક પ્રવાસ આચાર્ય હસમુખભાઈ પટેલના માર્ગદર્શન સાથે યોજાઈ ગયો. શનિવાર તા. ર૭થી ગુરૂવાર તા. ૧ દરમિયાન શંખલપુર બહુચરાજી, મહેસાણા દુધ સાગર ડેરી, ઉંઝા- ઉમિયા માતાજી, અંબાજી, શામળાજી, મુહડી, ગાંધીનગર અક્ષરધામ સહિત વિવિધ સ્થાનોનું દર્શન કર્યુ હતું. પ્રવાસમાં શિક્ષકો નવલશંગભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ પંચાલ તથા દિપ્તિબેન વાઘેલા જોડાયા હતાં.