છત્રાલ બ્રિજ પર અજાણ્યા વાહને જ્યુપીટરને ટક્કર મારતાં કલોલના યુવાનનું મોત

3243

શહેરમાં રહેતો ૨૫ વર્ષીય યુવાન ૧૦ દિવસ પહેલા રાજપુરમાં આવેલી એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર સિક્યુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી લાગ્યો હતો. જે તા.૨૮ને બુધવારના રોજ સવારે નોકરીથી મોપેડ લઇ પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં ઓસ્વાલ બ્રિજ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલી કોઠીવાળી ચાલીમાં ૨૫ વર્ષીય દિવ્યાંગ કનુભાઇ અમીન પોતાના પરિવાર સાથે રહેતો હતો. જે આજથી ૧૦ દિવસ અગાઉ રાજપુર પાસે સચિન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રૂદ્ર પ્રોટ્‌કશન ફોર્સ કોન્ટ્રાક્ટમાં સિક્યુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો.

જે તા.૨૭ઓગષ્ટના રોજ કંપનીમાં નાઇટ શિફ્‌ટની નોકરી પર ગયો હતો. તેમજ તા.૨૮ઓગષ્ટને બુધવારે સવારે નોકરી પુરી કરી પોતાનું જ્યુપીટર નં.જીજે. ૧૮ ડી.એફ. ૫૪૭૧ લઇ ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે ઓસ્વાલ બ્રિજ પર અજાણ્યા વાહને આ યુવાનના જ્યુપીટરને ધડાકાભેર ટક્કર મારી હતી.

અકસ્માતના પગલે ફંગોળાઇને પટકાયેલા દિવ્યાંગ ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના પગલે આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરીવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો.

Previous articleજિલ્લામાં ફરી વરસાદની પધરામણી : માણસામાં ૨, ગાંધીનગરમાં ૧.૫ અને દહેગામમાં ૧.૨ ઇંચ વરસાદ
Next articleFRCએ એકલવ્ય સ્કૂલને સવા પાંચ કરોડનો દંડ ફટકાર્યો