ગણેશ વિસર્જન સમયે વાત્રક નદીમાં ડૂબેલા ૬ યુવકોનાં મૃતદેહ મળી આવ્યા

487

અરવલ્લી જીલ્લાનાં ધનસુરા તાલુકાનાં ખડોલ નજીક પસાર થતી વાત્રક નદીના પટમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા કેશરપુરા ગામનાં ૬ યુવાનો નદીમાં ડૂબી જતાં ચકચાર મચી હતી. તમામ યુવાનોનાં મૃતદેહ મળી ગયા છે.

નોંધનીય છે કે શનિવારે સવારે ૯ કલાક સુધીમાં કુલ પાંચ યુવાનોનાં મૃતદેહ મળ્યાં હતા જ્યારે એક યુવાન લાપતા હતો તે યુવકની શોધખોળ ચાલી રહી હતી. એક જ ગામનાં ૬ યુવાનો ડૂબવાથી ખુશીનાં માહોલમાં આક્રંદ છવાઇ ગયો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ગણેશજીની પ્રતિમાનાં વિસર્જન માટે શુક્રવારે બપોરે કેશરપુરા ગામનાં યુવકો વાજતે-ગાજતે વાત્રક નદીના પટમાં પહોંચ્યા હતા. ઉપરવાસમાં વરસાદના પગલે વાત્રક નદીમાં ગણપતિની મૂર્તિને ડૂબાડવા જતા નદીના પ્રવાહમાં ૭ યુવકો એકાએક નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતાં. જે બાદ સ્થાનિક તરવૈયાઓએ ૧ યુવકને બચાવી લીધો હતો. અન્ય ૬ યુવાનો પાણીના પ્રવાહમાં તણાઇ ગયા હતા. જેમાં બે યુવાનો, રાતે એક યુવાનનો અને સવારે અન્ય બે યુવાનનાં મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યાં છે. જ્યારે હજી એક યુવાનનાં મૃતદેહની શોધખોળ ચાલી રહી હતી તેનો પણ મૃતદેહ મળી ગયો છે.

આ યુવાનો કેશપુરા ગામનાં સોલંકી લાલાભાઈ જયંતિભાઈ અને સોલંકી જતીન વિઠ્ઠલભાઈ, સોલંકી ગોપાલ નટુભાઈ (ઉં.વ. ૨૩), સોલંકી ભાવેશ સુરેશભાઈ (ઉં.વ. ૧૮), સોલંકી કનુભાઈ (ઉં.વ. ૩૪), સોલંકી યશવંત (ઉં.વ. ૩૫) ડૂબ્યાં હતાં.

Previous articleગુજરાતના ૧૧૧ વોકલિસ્ટે રાગ કેદારની બંદિશ ગાઇ સર્જ્યો ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ
Next articleમનપા દ્વારા ચેકડેમ તોડવામાં આવતા સ્થાનિકો લોકોએ હોબાળો મચાવ્યો