વિધાનસભા ગૃહમાં પણ સરકાર જવાબોમાં ગેરમાર્ગે દોરે છે : કોંગ્રેસ

696
gandhi832018-4.jpg

રાજયની વિધાનસભામાં જે વાત થાય તેનાં જવાબો અપાય તેના ઉપર સૌને વિશ્વાસ હોય છે. પરંતુ સરકાર વિધાનસભા ગૃહમાં ખોટા જવાબો આપી વિધાનસભા ગૃહનાં સભ્યો સાથે રાજયની પ્રજાને પણ ગેરમાર્ગે દોરી રહી છે. આજે પ્રશ્નોતરીકાળ દરમ્યાન એક જ જીલ્લાનાં રાજયમાં બાળકો ગુમ થવાનાં પ્રશ્ને પશ્ન ક્રમાંક-૧ અ.નં.૧૭૩માં આપવામાં આવેલ જવાબનાં આંકડાઓમાં તફાવત આવતાં વિધાનસભા ગૃહમાં વિરોધપક્ષ દ્વારા વિરોધ થયો હતો અને હોબાળો કરવામાં આવતાં સરકારનાં મંત્રીઓને જવાબ આપતાં ગલ્લા-તલ્લા કરવા પડયા હતા.
આ પ્રશ્નમાં દરમ્યાનગીરી કરતાં સરકારનો ખુલાસો પુછતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પ્રશ્ન ક્રમાંક-૧ અને પ્રશ્ન ક્રમાંક-૧૭૩ ગીર સોમનાથ જીલ્લાનો હતો. આ પ્રશ્નની અંદર વર્ષ-ર૦૧૬ અને વર્ષ-ર૦૧૭માં કેટલા બાળકો ગુમ થયા તે એકજ સરખા અલગ અલગ પ્રશ્નોનાં જવાબોમાં બાળકોની સંખ્યા અલગ અલગ કેવી રીતે હોઈ શકે? આમ છતાં સરકારે બાળકોની સંખ્યા અલગ-અલગ બતાવી સાબીત કર્યુ છે કે, બાળકો ગુમ થવાનાં મુદ્દે સરકાર બિલકુલ ગંભીર નથી. સાથે સાથે એવો પણ મુદ્દો ઉપસ્થિત થાય છે કે, રાજય સરકાર વિધાનસભા ગૃહને ગેરમાર્ગે દોરી રહી છે. જે બાબત ખૂબ જ ગંભીર છે. આવા જવાબોથી સરકાર ઉપર અવિશ્વાસ ઉભો થઈ રહયો છે.
ધાનાણીએ અધ્યક્ષને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, વિધાનસભામાં રાજય સરકારે ફલોર ઉપર આપેલા આંકડા મુજબ કુલ ૪,૯પ૧ બાળકો રાજયમાં છેલ્લા બે વર્ષમાં ગુમ થયાં છે આ આંકડાઓ અમે ગુજરાતની જાણ માટે પ્રસિધ્ધ કર્યા.ત્યારે ભાજપ સરકારના મહિલામંત્રીએ વિધાનસભાના દરવાજે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ આંકડા ખોટા હોઈ શકે. વિધાનસભાનાં નિયમોનાં નિયમો અનુસાર આ વિધાનસભાની એક પ્રશ્નોતરીમાં ચોકકસ સમયનાં ઉલ્લેખ સાથે પ્રશ્ન ક્રમાંક-૧ અને ૧૭૩માં બાળકો ગુમ થયાનાં પ્રશ્ને અલગ અલગ જવાબો ભુલથી આવ્યા હોય તો સુધ્ધીપત્રકમાં સુધારો આવવો જોઈએ, પરંતુ શુધ્ધીપત્રકમાં પણ આવો સુધારો આવ્યો નથી. તેથી સ્પષ્ટ થાય છે કે, સરકાર બાળકો ગુમ થવા મુદ્દે ગંભીર નથી. રાજયમાં આટલી મોટી સંખ્યામાં બાળકો ગુમ થવા એ સંવેદનશીલ બાબત ગણાય તેમજ મહિલામંત્રીએ આ આંકડામાં અવિશ્વાસ વ્યકત કર્યો હોય ત્યારે સરકાર દ્વારા વિધાનસભા ગૃહને ગેરમાર્ગે દોરવાનાં પ્રશ્ને વિધાનસભાનાં નિયમો મુજબ અડધા કલાકની ચર્ચા થવી જોઈએ. જેથી સરકાર કેટલી કઈ બાબતો ઉપર ગંભીર છે તે ગૃહ જાણી શકે તેમજ ગુજરાતની જનતા પણ જાણી શકે. સરકારની ભુલો સરકારને બતાવી શકાય.

Previous articleવિદ્યાર્થીઓના હિત સાથે ચેડા ક૨ના૨ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે : શિક્ષણ મંત્રી
Next articleજે.કે.સરવૈયા ઓફ પી.જી. સેન્ટર કોલેજનું ગૌરવ