ઝઘડા બાદ પતિની નજર સામે જ મહિલાએ તળાવમાં ભૂસ્કો માર્યો, ડૂબી જતા મોત

782

ઉધના-મગદલ્લા રોડ અંબાનગર પાસે શિવકૃપા સોસાયટીમાં રહેતા રાધાબેન (ઉ.વ.૨૬) અને તેમના પતિ રાકેશભાઈ રાઠોડ ગતરાત્રે આઠ વાગ્યાના અરસામાં ભરથાણા ગામમાં તળાવ પાસે બેસેલા હતા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

ઝઘડા બાદ રાધાબેન કૂદી જાઉં છું કહીને તળાવમાં ઉતર્યા હતા. જોકે, રાકેશભાઈએ હાથ પકડી બહાર કાઢ્યા હતા પરંતુ થોડા સમય બાદ ફરી રાધાબેન કૂદી જાઉં છું કહીને તળાવમાં ઉતર્યા હતા. તે વખતે રાકેશભાઈએ અટકાવ્યા ન હતા.

ફરી તળાવમાં ઉતરેલા રાધાબેન બહાર નહીં આવતા રાકેશભાઈએ સ્થાનિકોની મદદ માંગી હતી. નવ વાગ્યાના અરસામાં ફાયરબ્રિગેડને એક સ્થાનિક મારફતે કોલ મળતા તે સ્થળ ઉપર દોડી ગયા હતા અને તળાવમાં શોધખોળ આદરી હતી.

દોઢ કલાકની જહેમત બાદ રાધાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયરબ્રિગેડે મૃતદેહનો કબજો ખટોદરા પોલીસને સોંપ્યો હતો. અઢી વર્ષની બાળકીના માતા-પિતા એવા શ્રમજીવી દંપત્તી વચ્ચે ઝઘડો થયો ત્યારે બંને નશામાં હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleહોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા હોબાળો, પરિવારજનો ધરણા પર બેઠા
Next articleઉર્દુ શાળાના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાતો વીડિયો વાયરલ, પ્રિન્સિપાલે સફાઈ આપી