શિયાળબેટ ગામે સરપંચ ઉપસરપંચે પદ ગ્રહણ કર્યુ

740
guj1332018-3.jpg

જાફરાબાદના અરબી સમુદ્રના ટાપુ શીયાળબેટ ગામે બિન હરિફ ઉપ સરપંચ તરીકે રૂપસંગભાી શીયાળની વિધીવત વરણી અધ્યસી અધિકારી વાઢેર સાહેબના અધ્યક્ષસ્થાને ગામ આગેવાનોની હાજરી સાથે ખુશીનો માહોલ જાફરાબાદ તાલુકાના જાફરાબાદ તાલુકાના અરબીસમુદ્રના ટાપુ શિયાળબેટ ગામે ગત સરપંચની ચૂંટણીમાં હમીરભાઈ શીયાળની ત્રીજી ટર્મથી વિકાસ લક્ષી ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે દરીયામાં અંડર ગ્રાઉન્ડ વિજ વાયરનાખી ૭૦ વર્ષે આજાદી પછી પ્રથમવાર શીયાળબેટમાં તે વખતના મુખ્યમંત્રી આંદીબેન પટેલ દ્વારા લોકાર્પણ જેવા કાર્યક્રમ તેમજ હજી દરીયા પીવાના પાણી નર્મદા યોજનાના મીઠા પાણીનો કરોડો રૂપિયાનો પ્રોજેકટ પાસ પણ થઈ ગયો છે. તેમજ ગામમાં સરપંચ હમીરભાઈ દ્વારા હાઈસ્કુલ દવાખાનું નવા બ્લોક રોડ ૮૦ ટકા શૌચાલયો તૈયાર બાકીના ૧૦૦ ટકા પુરા કરવાનો લક્ષાંકને સહિત અનેક વિકાસને શીયાળબેટની સમજદાર જનતા કેમ ભુલે સાથે સાથ હમીરભાઈ શીયાળ તેમજ રૂપસંગભાઈના મળતીયા સ્વભાવથી ગામ લોકોના હૃદયમાં માન ભર્યુ સ્થાન પામનાર આ વખતે મહિલા સીટ હોય ત્યારે હમીરભાઈ શીયાળના પત્ની ભાનુબહેન હમીરભાઈ શીયાળ જંગી બહુમતીથી ગામ લોકોએ સરપંચ તરીકે પસંદ પામેલ અને ઉપસરપંચ તરીકે પંચાયત બોડીના તમામ સભ્યોએ રૂપસંગભાઈને પસંદગી આપેલ આ વખતે મંત્રી પઠાણભાઈ પણ ઉપસ્થિતીમાં વાઢેર વિધીવત ઉપસરપંચ તરીકે ઘોષીત કરેલ છે.

Previous articleરાજુલાના ખેડૂતો દ્વારા કૃષિ ઝણસ મુદ્દે રાજ્યપાલને આવેદન પાઠવ્યું
Next articleબોર્ડની પરિક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું