અંબરીશ ડેરના સસ્પેન્શનના વિરોધમાં રાજુલામાં ચકકાજામ

1229
guj1732018-2.jpg

રાજુલા ધારાસભ્ય અંબરીષાભાઈ ડેર તેમજ ધારાસભ્ય પ્રતાપ દુધાતને ૩ વર્ષ માટે દ્વારા  માટે ધારાસભામાંથી સસપેન્સના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા નેશનલ હાઈ-વે ચકકાજામ કરાયો તમામ કાર્યકર્તાની પોલીસ દ્વારા ધરપકડ બાદ છુટકારો. રાજુલા પીપાવાવ ચોકડી ખાતે આજે અંબરીષભાઈ ડેર અને પ્રતાપ દુધાને સસ્પેન્સ  કરાયાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા નેશનલ હાઈવે ચકકાજામ કરાતા પીપાવાવ મરીન પોલીસ દ્વારા એનએસયુઆઈના પ્રમુખ કરણભાઈ કોટડીયા, મહામંત્રી રોહનભાઈ ગોસ્વામી શહેર પ્રમુખ રવિભાઈ ધાખડા, ઉપપ્રમુખ રમેશભાઈ લાખણોત્રા તેમજ જાફરાબાદ એનએસયુઆઈના તાલુકા ઉપપ્રમુખ પૃથ્વીરાજભાઈ વરૂ, બાલુભાઈ ભેરાઈ સહિત ૭૦ જેટલા કાર્યકરોની પીપાવાવ મરીન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી ત્યાર બાદ છુટકારો કરવામાં આવેલ. 

Previous articleઆઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડનો આઈપીઓ રર માર્ચે ખુલશે
Next articleરાજુલા તા.પં.નું ૬૩.૪૮ કરોડનું બજેટ મંજુર