બોરતળાવ પો.સ્ટે.ના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર શખ્સ જબ્બે

708
bvn2232018-5.jpg

શહેરનાં બોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના કામે ત્રણ વર્ષથી ફરાર શખ્સને ગારીયાધાર પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.પી.અગ્રાવત તથા પ્રો.પીએસઆઈ એચ.આર.  પઢીયારના માર્ગદર્શન મુજબ ગારીયાધાર પોલીસ સ્ટશનનાં એએસઆઈ એચ.બી.ચાહણ પો.કો. દિલીપભાઇ ખાચર તથા પો.કો. શકિતસિંહ સરવૈયા ના ઓ આજરોજ ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન દિલીપભાઇ ખાચર ની ચોકકસ સચોટ બાતમી આધારે ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનનાં કલમ ૩૨૬, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪, જીપીએસીટી ૧૩૫ – મુજબના કામનો નાસતો ફરતો આરોપી અરવિંદભાઇ બાબુભાઇ બકરાણીયા ઉ.વર્ષ ૨૨ રહે ગારીયાધાર મફતનગર નવાગામ રોડ દિલાવર પાન પાસે વાળો જે પેટ્રોલીંગ દરમિયાન સમ્રાટ ટોકીઝ પાસે રોડ પરથી મળી આવતા તેની પુછપરછ કરતાં પોતે જણાવેલ કે બોરતળાવ પોલીસ સ્ટેશનનાં ગુન્હાનાં કામે નાસતો ફરતો હોય જેથી ઇસમને સીઆરપીસી કલમ ૪૧(૧)ડી આઇ મુજબ ધોરણસર અટક કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે. 

Previous articleવાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનું પ્રદર્શન
Next articleઢોર અતિક્રમણ ધારાના ગુન્હામાં ફરાર શખ્સ બોરસદથી ઝડપાયો