પોલીસ વિશિષ્ટ સેવા પદક પ્રંશનીય સેવા પોલીસ પદક સન્માન ૧૬૮ પોલીસ કર્મીઓ અધિકારીઓને એનાયત કરવાનો ગૌરવશાળી સમારોહ

400

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, ગુજરાતની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતી રહેલી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતિની સ્થિતીની નોંધ દેશભરમાં લેવાય છે.ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગૂન્હો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે એમ પણ તેમણે જણાવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસ દળના ૧૬૮ જેટલા અધિકારીઓ-કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે ર૦૧૪ થી ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચંન્દ્રક અમદાવાદમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કર્યા હતા.ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવશ્રી ડૉ. જે. એન. સિંહ, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશિષ્ટ સેવા માટેના ૧૮ પોલીસ ચન્દ્રક તેમજ પ્રસંશનીય સેવા માટેના ૧પ૦ પોલીસ પદક એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે. જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ આધુનિક તકનીકનો ઉપયોગ કરી સમય સાથે તાલ મિલાવી રહી છે. તેઓએ કહ્યું કે, ગુજરાતમાં ક્રાઇમ રેટ અને ક્રાઇમ ડિટેકશન રેટ મેન્ટેઇન કરવામાં આવ્યો છે અને આથી જ લોકોની ફરિયાદ- સમસ્યાઓ નિવારી શક્યા છીએ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શહેરોમાં વસતી ગીચતા વધી રહી છે. પોલીસ વિભાગ દ્વારા આવા અનેક પડકારોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં થનારા શક્ય ગુનાઓને નિવારવા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ ટેકનોસેવી છે. અદ્યતન ઉપકરણોના ઉપયોગથી હવે, ગૂના આચરવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરનારા તત્વોને પણ શોધી કાઢવાનો પડકાર ઝિલવા સક્ષમ છે.


તેમણે કહ્યું કે, માથાભારે તત્વોને કારણે ઘણીવાર સમાજમાં ભયનો માહોલ પ્રસરે છે, આવા સમયે લોકોને સુરક્ષા પૂરી પાડવી તથા કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું પોલીસની ફરજ બનતી હોય છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાત પોલીસની કડપ અને છાપ જ એવા છે કે સામાન્ય માનવીને પણ સુરક્ષિતતાનો અહેસાસ સતત થતો રહે છે.પોલીસ પ્રજાના મિત્ર તરીકે પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદિતા રચાઇ છે. ગુજરાત પોલીસે પ્રોપીપલ પોલીસીંગનો જે અભિગમ અપનાવ્યો છે તે પ્રજા-પોલીસને વધુ નજીક લાવે છે એમ પણ તેમણે પોલીસ દળની કામગીરીની સરાહના કરતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોમી તનાવ હવે રાજ્યમાં ભૂતકાળ બની ગયો છે. નાગરીકોને સલામતી અને સુરક્ષા પ્રદાન કરવામાં ગુજરાત પોલીસ સંપૂર્ણપણે સફળ નીવડી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આજે જે પોલીસ જવાનોને ચંદ્રક એનાયત થયા છે તેઓનો જુસ્સો વધશે જ પરંતુ પોલીસ વિભાગના અન્ય કર્મી-અધિકારીઓ માટે પણ તેઓ પ્રેરણારૂપ બની રહેશે અને વિભાગને નવું નૈતિક બળ આપશે. તેમણે ગુજરાતને વિકાસના વધુ નવા સિમાચિન્હો પાર કરાવવામાં પોલીસદળની હજુ પણ વધુ ઉત્કૃષ્ટતા- સજ્જતા માટે પણ આહવાન કર્યુ હતું.
ગુજરાત પોલીસ દળમાં ર૦૧૪થી ર૦૧૯ના વર્ષો દરમ્યાન ૯ પોલીસ અધિકારી-કર્મીઓને પ્રજાસત્તાક દિવસે
તેમજ ૯ જવાનોને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ-૧૮ અધિકારી-કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવેલાતે તથા ગણતંત્ર દિવસે પ૮ અને સ્વાતંત્ર્ય દિવસે ૯ર પોલીસ પદક પણ જાહેર કરાયેલા તે પદક આજે અર્પણ થયાહતા.આ પ્રસંગે મેડલ પ્રાપ્ત પોલીસ કર્મીઓના પરિવાર જનો તથા અમદાવાદ ના મેયર બીજલ પટેલ ધારાસભ્યો
વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleબોટાદ જિલ્લાના મહેસુલી કર્મીઓની જિલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ
Next articleપર્યાવરણ અને સંસ્કૃતિના જતન થકી ગ્રામ્ય સ્તરે સ્વરોજગારી પૂરી પાડવા સંપૂર્ણ મદદ કરવા રાજ્ય સરકાર તત્પર : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ