અશ્વિનભાઈ ખુમાણના જન્મદિને ૧૧૧ વ્યક્તિઓ દ્વારા રકતદાન કરાયું

897
guj2932018-1.jpg

જોગીદાસ ખુમાણના વંશજ અશ્વિનભાઈ ખુમાણ દ્વારા આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજુલા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૧૧ વ્યક્તિઓએ સ્વૈચ્છિક રકતદાન કર્યુ હતું અને અશ્વિનભાઈને શુભેચ્છા પાઠવી હતી.
મહુવાની નવકાર બ્લડબેંક અને રેડક્રોસ સોસા. અમરેલીના સહયોગથી યોજાયેલ કેમ્પમાં રૂખડબાપુની વાવડી મહંત બાબભાઈ બાપુ, સ્વામીનારાયણ મંદિર રાજુલા ગુરૂકુળના મહંત હરીનંદન સ્વામી, સાવરકુંડલા માનવ મંદિરના મહંત ભક્તિરામબાપુ સહિત સંતો-મહંતો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનોમાં નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, સ્વામીનારાયણ મંદિર રાજુલાના મહંત કોઠારી અખંડ મંગળ સ્વામી મનુભાઈ ધાખડા, ઉદ્યોગપિત દિપકભાઈ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી, આગરીયાના સરપંચ પ્રકાશભાઈ ખુમાણ, હાથીભાઈ ખુમાણ સહિત અનેક મહાનુભાવોનું સન્માન અશ્વિનભાઈના પિતા કનુભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને અમરેલી રેડક્રોસ તેમજ મહુવા નવકાર બ્લડ બેંકના ટ્રસ્ટી કમલેશભાઈ શાહ દ્વારા અશ્વિનભાઈ ખુમાણને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

Previous articleવાડીમાં આગનો બનાવ બનતા ૧૦૦ મણ ઘઉં બળીને ખાક થયા
Next articleઅલંગ શિપ યાર્ડમાંથી લોખંડની પ્લેટોની ચોરી કરનાર ઝડપાયો