વાડીમાં આગનો બનાવ બનતા ૧૦૦ મણ ઘઉં બળીને ખાક થયા

644
bvn2932018-9.jpg

સિહોરની પળપીયાની નહેર પાસે આવેલ વાડી વિસતારમાં પાકમાં આગ લાગતા નુકશાન થવા પામેલ. જે અંગે બચુભાઈ કરશનભાઈ બલીયા જાતે રબારીની વાડીમાં જે ઘઉંના પાકને કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલ તેમજ વાડીની વાડમાં પણ ભયંકર આગ લાગતા વાડી વિસ્તારના સ્થાનિકો દ્વારા આગ બુજાવવામાં આવેલ. જે અંગે સિહોર નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરેલ પરંતુ આ ઈમરજન્સી વાહનો બંધ હાલતે હોય બન્ને વાહનો બંધ થતા તંત્ર વાહકે જે પાણીનો કહેવાતો એક માત્ર ટાંકો ઠલવાતો હોય છે પણ તંત્રના પાપે પશુઓ પાણી વગર તરસ્યા રહેલ અને આ પાણીના ટાંકો જે આ વાડી વિસતારમાં આગ બુઝાયા બાદ મોડે મોડે આવ્યો હતો. આવા ઈમરજન્સી વાહનો બાબતે તંત્ર નિંદ્રાધીન થયું છે તો સત્તાધીશો માત્રને માત્ર દેખાવડા માટે સ્વચ્છતા માટે ઉતરી પડ્યા પણ ઈમરજન્સી વાહનો તકલાદી કેમ રાખવામાં આવે છે. જે અંગે સિહોરના સામાજીક કાર્યકર હરીશભાઈ પવારે સિહોરમાં નાયબ કલેક્ટરની લેખીત ફરિયાદ કરવામાં આવેલ.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ મેરેથોન દોડમાં જોડાઈ
Next articleઅશ્વિનભાઈ ખુમાણના જન્મદિને ૧૧૧ વ્યક્તિઓ દ્વારા રકતદાન કરાયું