દામનગરમાં પરશુરામ જયંતિના આયોજન અંગે બ્રહ્મસમાજની બેઠક

599
guj3032018-4.jpg

દામનગર શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિ અંગેની બ્રહ્મસમાજની વાડી સુમન ભવન ખાતે તા.ર૭-૩ની રાત્રે મિટીંગ મળી હતી. મોટીસંખ્યામાં બ્રહ્મસમાજના અગ્રણીઓ અને યુવા કાર્યકરો દ્વારા આગામી તા.૧૮-૪ના રોજ ભગવાન પરશુરામજીની જન્મજયંતિની તૈયારીઓ માટે સંકલન કરી વિવિધ જવાબદારીઓ માટે સમિતિઓ રચી ભગવાન પરશુરામની રથયાત્રા તેના રૂટ આમંત્રિત મહેમાન ભોજન પ્રસાદ પૂજન શહેર સુશોભન બેનર કટઆઉટ, ધજા, પતાકા, કમાન, દરવાજા સહિતની જવાબદારી માટે સુંદર માર્ગદર્શન અપાયેલ. કાર્યકરો દ્વારા આગામી તા.૧૮-૩ ભગવાન પરશુરામજીની જન્મજયંતિ ભવ્યાતિભવ્ય ઉજવાય તે માટે દામનગર સમસ્ત બ્રહ્મસમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Previous article જાફરાબાદના મીતીયાળાથી રાજુલા રોડમાં બે-બે ફુટના પડ્યા મોટા ખાડા
Next article બરવાળા ખાતે સંસ્કાર ભારતી શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો