રામદેવ રામાયણની પોથીયાત્રા

1172
bhav2418-5.jpg

શહેરના વડવા, પાનવાડી પોસ્ટ ઓફિસ પાસે રામાપીર મિત્ર મંડળ અને કુમાર મિત્ર મંડળ દ્વારા આજથી રામદેવ રામાયણ કથાનું આયોજન સુરકાવાળા શાસ્ત્રી નરેશભાઈ જોશીના વ્યાસાસને કરાયું છે જેની બપોરે પોથીયાત્રા વાજતે-ગાજતે નિકળી હતી. જેમાં મોટીસંખ્યામાં ભાવિક ભાઈઓ-બહેનો જોડાયા હતા. કથા દરમ્યાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવા ઉપરાંત તા.૮ને રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ તથા તા.૧૦ના રોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે.     

Previous article મહિલા કોલેજ સર્કલ પાસે ટ્રક પલ્ટી ખાતા બાઈકનો બુકડો
Next article ક્રાંતિવિર સરદારસિંહ રાણાની વેબસાઈટનું લોકાર્પણ કરાશે