સરકારી મિલ્કતોના નુકશાન કર્યાની ટોળા વિરૂધ્ધ ફરિયાદ

573
bvn432018-10.jpg

એટ્રોસીટીના કાયદામાં સુધારાના વિરોધમાં આજરોજ દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન જાહેર કર્યુ હતું અને શહેર-જિલ્લાના દલિત સમાજના લોકો મોટીસંખ્યામાં એકઠા થઈ રેલીઓ કાઢી શહેરભરમાં ફરી હતી. શહેરની મુખ્યબજારોમાં મહાપાલિકાની ઓફિસમાં દલિત સમાજનું ર૦૦ લોકોનું ટોળું ધોકા-પાઈપ જેવા હથિયારો લઈ ઘુસી જઈ બારીઓના કાચ ફોડી તોડફોડ કર્યાની નિલમબાગ પોલીસ મથકમાં અજીતસિંહ મંગળસિંહ સોલંકીએ ર૦૦ લોકોના ટોળા વિરૂધ્ધ ફરિયાદ આપી હતી તેમજ મહાપાલિકા કચેરીની સામે આવેલ શિવા બ્લેસીંગ નામના બિલ્ડીંગની ઓફિસમાં ર૦૦ લોકોના ટોળાએ ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ કરી લારીના કાચ તોડ્યાની જીનેદભાઈ ઈસુબભાઈ બીલખીયાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous article દામનગરમાં દલીત સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું
Next article ૧૦૮ ઈએમટી દિનની ઉજવણી