સરકારની સહાય મેળવી બોટાદના ખેડુતે શક્કર ટેટીની ખેતીમાં તગડો નફો કર્યો

708

મશરૂભાઈ નરશીભાઈ મેણીયા બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામ ખાતે રહે છે. તેઓની ઉમંર ૫૬ વર્ષંની છે તેઓએ સાત ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓની પાસે બાપ દાદાની ૪.૮૫ હેકટર સુધી જમીન છે. ખેડૂતપુત્ર હોય નાનપણથી જ બાપ-દાદાની પારંપરિક કપાસ, તલ, જુવાર વગેરે પાકોની ખેતી જોતા આવતા. પારંપરિક ખેતીમાં તેઓએ જોયું કે પુરતી માહિતીના આભાવે પાક સંરક્ષણ માટે દવાઓના ખર્ચ તથા તેનો વધારે પડતો ઉપયોગ, વિવિધ રોગો- જીવાતોનો અને પ્રાણીઓનો ઉપદ્રવ, ઓછું ઉત્પાદન અને ઓછા ભાવ વગેરે-વગેરે. આ વિકટ સમસ્યાથી છૂટવા મશરૂભાઈ સતત નવો માર્ગ શોધવા પ્રગતિશીલ રહેતા. તેઓ બાગાયતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શાખાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી ચાલુ વર્ષે ગ્રોકવર તથા મલ્ચીંગ સાથે શાક્કર ટેટીનું આધુનિક ખેતીની માહિતી મેળવી નવ વિઘાનું વાવેતર કરેલ જેમાં આવક-ખર્ચના આંકડા જોતા જણાવ્યું હતું કે, તેઓએ નવ વિઘાના વાવેતરમાં મલ્ચીંગ ખર્ચ રૂ. ૪૦,૦૦૦/-, ગ્રોકવર ખર્ચ રૂ. ૬૫૦૦૦/-, બીયારણ અને દવા તથા ખાતર ખર્ચ રૂ. ૧,૧૯,૦૦૦/- અને મજુરી તથા અન્ય ખર્ચ રૂ. ૬૦,૦૦૦/- એમ કુલ ખર્ચ રૂ. ૨,૮૪,૦૦૦/- થયેલ છે. પાક પુર્ણ કરવા માટે માત્ર ૯૦ દિવસ લાગે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦- ૨૧ માં થયેલ નવ વિઘાની આવકની વિગતોમાં કુલ ઉત્પાદન ૫૧,૫૦૦/- કિ.ગ્રાનું થયું હતું જેની આવક ૬,૫૦,૦૦૦/-, ખર્ચ ૨,૮૪,૦૦૦/- તેમજ ૩,૬૬,૦૦૦/- રૂપિયા નફો થયો હતો.

Previous articleકોરોના સંક્રમણને અટકાવવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છીક લોકડાઉન
Next articleસોશ્યલ ડિસ્ટન્સના અભાવે વધુ ૧ દુકાન સીલ કરાઇ