રાજકારણી મત માટે કંઈ પણ કરી શકે છે. દલીતોના પ્રશ્ને હમણા ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પહેલાં વિધાનસભા સામે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની મુર્તિની યાદ પણ તંત્રને આવતાં રંગરોગાન શરૂ કર્યું હતું. આખો દિવસ મુર્તિનું રંગરોગાન ચાલ્યું હતું. ૧૪ મીએ જન્મજયંતિ પ્રસંગે બાબાસાહેબ આંબેડકરની મુર્તિ આગળ અનેકવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવેલા છે.